આ રીતે બનવેલો ઘી વગરનો લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર | લાડુ બનાવવાની રીત

 

અત્યારના સમયમાં દરેક મનુષ્ય માટે શરીરમાં થતો દુખાવો અને શારીરિક માંસપેશિઓમાં થતો દુખાવો ( Joint Pain, Knee Pain ) એક મોટી સમસ્યા બની ગઈ છે. મિત્રો, આ દુખાવો કોઈ ભારે વસ્તુ ઉચકવા શરીર પણ દબાણ આવતા થાય છે. અથવા તો વધારે પડતો વ્યાયામ કરવાથી પણ શરીરમાં દુખાવો થતો હોય છે, એવી ફરિયાદ સામાન્ય રીતે લોકો કરતા હોય છે.

શરીરમાં થતા આવા દુખાવાને જો આપણે એની અવગણના કરીએ તો આગળ જતા આ દુખાવો ગંભીરરૂપ ધારણ કરી શકે છે. આપણે જો એમ માની લેતા હોઈએ કે શરીરમાં થતો દુખાવો ફક્ત ને ફક્ત મોટી ઉંમરલાયક વ્યક્તિઓને જ થાય છે તો એ વાત તદ્દન અર્થ વગરની છે. કેમકે, સામાન્ય રીતે દુખાવો નાના બાળકો થી લઇને 80 વર્ષના વૃદ્ધ માણસોને પણ થઇ શકે.

આજના આપણા આર્ટિકલ્સમાં આપણે જાણીશુ કે કઈ રીતે આવા સાંધાના દુખાવામાં થી છુટકારો મેળવી શકાય. તેમજ, ઘૂંટણમાં પડતી તકલીફ ( Knee Pain ) સામે અમે એક એવા લાડુની રેસિપી બતાવાના છીએ, જેમાં લાડુ બનાવવા માટે ઘીનો ઉપયોગ કાર્ય વગર જ  કઈ રીતે હેલ્થી, કેલ્શિયમ યુક્ત તેમજ પ્રોટીન યુક્ત લાડુ બનાવી શકાય, અને એનું સેવન માત્ર કરવાથી ઘૂંટણમાં થતી તમામ તકલીફથી છુટકારો મેળવી શકાય.

મિત્રો, લાડુ બનાવની રેસિપી જોતા પહેલા સૌ પ્રથમ આપણે ઘૂંટણના દુખાવાની તકલીફ ( Knee  Pain ) કેમ અને કઈ રીતે પડતી હોય છે, કાળજી રાખવી અને કેવો ખોરાક ખાવો જોઈએ એની, સંપૂર્ણ વિગત આપણે જાણીશુ. ત્યારબાદ આર્ટિકલની અંતમાં ઘી વગરના લાડુ બનાવવાની રીતે વિશે આપણે વિગતવાર જાણીશુ.

દુખાવાના કેટલા પ્રકાર હોય છે ? 

સામાન્ય રીતે શરીરમાં થતા દુખાવાના ઘણા બધા પ્રકાર હોય છે. ખાસ કરીને દુખાવો પીઠનો, માથાનો, શરીરની માંસપેશીયોનો, ગળાનો અને ઘૂંટણનો હોય છે. બીજા પ્રકારના દુખાવામાં શારીરિક તંત્રિકા તંત્ર પ્રભાવિત થઈ જતી હોય છે. જેના લીધે થઈને શારીરિક દુખાવો થવા લાગે છે. આવા દુખાવાને ન્યુરોપેથિક પેન પણ કહેવામાં આવે છે. 

આ દુખાવો નાના-મોટાં સાંધા જેવા કે આંગળીઓના સાંધામાં દુખાવો શરૂ થઇને તે કાડાં, ઘૂંટણ, અંગુઠામાં વધતા જાય છે. દુખાવો વધી જતા આખા શરીરના કાર્ય કરવાની ક્ષમતાને રોકી નાંખે છે. જ્યાં જ્યાં શરીરમાં એકથી વધુ પ્રમાણમાં હાડકાનું જોડાણ થતું હોય તેને સાંધો કહે છે. અને એમાં ખાસ કરીને પગના ઘૂંટણનો સાંધો આપણા શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે.

ઘૂંટણમાં થાયબોન, નિકેપ, ફીબ્યુલા અને શીનબોન, જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બનતો હોય છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને જોડતા સ્નાયુઓ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે. જયારે પણ માનવ શરીરના ઘૂંટણમાં સોજો આવે ત્યારે દુખાવો જોવા મળતો હોય છે.

જયારે પણ ઘૂંટણની હલન-ચલન કરવાની ક્રિયામાં તકલીફ ઉભી થાય ત્યારે એને સામાન્ય અને સરળ ભાષામાં તે ઘૂંટણનો દુખાવો કહેવાય છે. પરંતુ ઘણી વાર ઘૂંટણનો દુખાવો સાંધાના કયા ભાગમાં તકલીફ ઉભી થાય છે, તે જાણવું ખુબજ જરૂરી છે. અને એ જાણ્યા બાદ તેને અનુલક્ષી ઉપચાર કરવો પણ ખુબ જરૂરી છે.

જયારે પણ ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય ત્યારે ઘૂંટણમાં દુખાવો થતો હોય છે. કોઈ વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય તો પણ ઘુંટણમાં દુખાવો જોવા મળતો હોય છે.

સામાન્ય ભાષામાં કહીયે તો જેમ આપણા ઘરનાં બારી બારણાંમાં જે રીતે મિજાગરા કામ કરે છે, લગભગ એવું જ કામ આપણા ઘૂંટણનો સાંધો તેમજ શરીરના અન્ય સાંધા પણ કરે છે. જયારે પણ આપણે ઉભા રહેતા હોઈએ છીએ એ પ્રકિયા દરમ્યાન કોઇપણ સ્નાયુનાં વપરાશ માત્ર વગર માત્ર ને માત્ર એ સાંધો જ શરીરને આધાર આપે છે. જેનાથી આપણે શરીરનું બેલેન્સ જાળવી શકીયે છીએ. 

જયારે પણ આપણે કોઈ કામ માટે નીચે નમીયે, નીચે બેસીયે, ઉભા થઈએ ત્યારે ઘૂંટણ વપરાય છે. રોજિંદી પ્રક્રિયામાં ચાલવા કે દોડવા દરમ્યાન પણ ઘૂંટણનો વપરાય થાય છે, આપણો ઘૂંટણ દરેક પ્રકારના પડકારો ઝીલી અને શોક અબ્ઝોર્બર તરીકે કામ કરતાં કૂર્ચાસ્થિ –મિનિસ્કસ અને આર્ટીક્યુલર કાર્ટીલેજ કુશન જેવું કામ કરે છે. 

આ સંજોગોમાં ઘૂંટણ પણ આડ અસર થતી હોય છે
જયારે શરીરનું વજન વધુ પડતું હોય ત્યારે એ વજન આપણા પગ એને ટકાવી રાખે છે. અને એનો બોજ ઘૂટણ પણ આવતો હોય છે. તમારા દ્વારા થતી સતત એકધારી પ્રવૃત્તિ જેવીકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે તો પણ એની અસર ઘૂંટણ પણ જોવા મળતી હોય છે. જયારે પણ ઉભા થતી વખતે કે બેસતી વખતે ઘૂંટણનો ટેકો લેવામાં આવતો હોય ત્યારે પણ એની અસર ઘૂંટણ પર જોવા મળે છે.

સોફા કે ખુરશી ઉપર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ કે ઉભા થવાની ટેવ પણ તમને તકલીફમાં મૂકી શકે છે. કામ કરતી વખતે કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે એ રીતે જો વધુ સમય ઉભા રહી કામ કરતા હોય ત્યારે, કે પછી પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમ્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્નાયુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હોય છે.

આમ ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં પ્રમાણ વજન આવવાથી એની આડઅસર ઘૂંટણનાં સાંધા પર પડતી હોય છે. ઘણી વાર પોતાના શરીરનું વધુ પડતું વજન પણ સાંધાના દુખાવામાં તકલીફ અપાતું હોય છે. જો તમારે એમ ના થવા દેવું હોય તો પોતાનું વજન ઘટાડવું અને શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે. ખાસ કરીને ચાલવા, ઉભા રહેવા જેવી દૈનિક પ્રવૃત્તિ દરમ્યાન યોગ્ય પગરખાં પહેરવા તથા ઘૂંટણનો અયોગ્ય ઉપયોગ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

ઘૂંટણના દુખાવામાં આ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ 

પગના ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓ તેમજ ઘૂંટણની રચનામાં વપરાતાં લીગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો, શિથિલતા માટે રક્તમાં રહેલો ‘આમ’ જવાબદાર હોઈ શકે છે. આ માટે, દરેક વ્યક્તિએ શારીરિક પ્રકૃતિને અનુરૂપ ખોરાક ખાવો જોઈએ. અને એમાં પણ ખાસ કરીને ચરીનું પાલન ખાસ કરીને આથાવાળી વસ્તુઓ, ખાટા પદાર્થો, પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, મેંદા વાળી વસ્તુઓ તેમજ બજારના તૈયાર ખોરાક અને ફાસ્ટ ફૂડ સદંતર બંધ કરી દેવા. આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન’ માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો, જકડાહટ અને ઘૂંટણના દુખાવામાં રાહત થાય છે. 

આયુર્વેદ અનુસાર જે વ્યક્તિને સામાન્ય રીતે ઘૂંટણની તકલીફ - Knee Pain થી પીડાતી હોય તો જો મેથી ખાવામાં આવે તો જે વ્યતિને ઘૂંટણનો દુખાવો મટી જતો હોય છે. પણ જો તમારે ઘુંટણનો દુખાવો થાવાજ ન દેવો હોય તો તમારે પહેલેથીજ હેલ્થી અને કેલ્શિયમ યુક્ત ખોરાક ખાવો પડે. જેથી કરીને ઘુંટણની સમસ્યા આવેજ નહી. તો આજે એવીજ એક હેલ્થી લાડુની રેસિપી વિશે આગળ આપણે જાણીશુ, જેના માત્ર 30 દિવસના સેવનથી ઘૂંટણની તકલીફ દૂર થઇ જશે. 

જરૂરિયાત સામગ્રી :-  દેશી ગોળ – 750 ગ્રામ, તલ – 500 ગ્રામ, અખરોટ – 200 ગ્રામ, છીણેલું ટોપરું – 100 ગ્રામ, શીંગ દાણા – 100 ગ્રામ, બદામ – 50 ગ્રામ, કાજુ – 50 ગ્રામ, , સૂંઠ – 30 ગ્રામ 

રીત :- સૌ પ્રથમતો બતાવેલ સામગ્રી જેવીકે શીંગ દાણા, તલ, કાજુ, બદામ, અખરોટ લઇને એને સારી રીતે સાફ કરી લેવા. ત્યારબાદ આ બધી વસ્તુ સાફ થઇ ગયા બાદ શીંગ દાણા, તલ, છીણેલું ટોપરું ને અલગ કરી લેવા, ત્યારબાદ બાકી વધેલા ડ્રાયફ્રૂટ્સ જેવાકે અખરોટ, કાજુ, બદામ ને પણ અલગ કરી લેવા આવી રીતે બધી સામગ્રીને સરખા 2 ભાગમાં વહેંચી લેવી. 

બધીજ સામગ્રી બે ભાગમાં વહેંચાઈ ગયા બાદ, એક સ્વચ્છ મોટી કઢાઈ લેવી અને ગેસ ચાલુ કરી ને મોટી કઢાઈને ગરમ કરવા મુકાવી. કઢાઈ સહેજ ગરમ થાય એટલે એમાં તલ, શીંગ દાણા અને છીણેલું ટોપરું વાળો ભાગ લઈને કઢાઈમાં શેકવા. આ બધી સામગ્રી સહેજ ગરમ થઇ જાય અને છીણેલું ટોપરું બ્રાઉન કલરનું થઇ જાય ત્યારે, એ કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવી. ત્યાબાદ બાદ કઢાઈમાં રહેલી બધી સામગ્રીને એક અલગ થાળીમાં કાઢી લો, અને એને ઠંડુ પાડવા માટે રાખવું. 

જ્યાં સુધી આ બધી સામગ્રી ઠંડી પડે ત્યાર સુધીમાં ફરીવાર આપણા બાકી વધેલા ડ્રાયફ્રૂટ્સ જેવાકે અખરોટ, કાજુ, બદામ વાળો જે બીજો ભાગ છે, એ ભાગને કઢાઈમાં લઈને એ ડ્રાયફ્રૂટ્સને પણ ગરમ કરવું અને સહેજ વાર પછી થોડી વાર પછી ડ્રાયફ્રૂટ્સ રોસ્ટેડ થઇ જાય ત્યાર બાદ એ બધીજ  સામગ્રીને પણ એક અલગ મોટા સ્વચ્છ વાસણમાં કાઢીને એને ઠંડુ થવા માટે રહેવા દેવું. 

ઉપયોગી ટિપ્સ :- ( આ લાડુ બનાવવા માટે આપણે બધી વસ્તુઓને એટલા માટે શેકી છે કે આ બધી વસ્તુઓમાં તૈલીય ગુણધર્મ હોય છે. માટે એને શેકવાથી એમાં રહેલું મોઈશ્ચર દૂર થઇ જશે. અને એના લીધે આપણો લાડવો બગડશે પણ નહિ.

આ બધીજ તમામ વસ્તુઓ ઠંડી થઇ જાય, ત્યાર બાદ આ વસ્તુઓને એક મિક્સર બાઉલમાં એકઠી  કરીને મિક્સરમાં સહેજ કકરુ રહે એ રીતે આ બધીજ સામગ્રીને પીસી લો. એકે વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બહુ વધારે પડતું જીણું પીસાઈ ના જાય. નહી તો, તમે લાડવાનો અસલી ટેસ્ટ માણી શકશો નહિ. હવે, આ બધી વસ્તુ મિક્સરમાં પીસાઈ ગયા બાદ એને અલગ વાસણમાં કાઢી લો. 

ત્યારબાદ, એક સ્વચ્છ કઢાઈમાં ગોળ ગરમ કરવા મુકવો ( દેશી ગોળ હોય તો અતિ ઉત્તમ ) જેવો ગોળ ગરમ થવા આવે કે તરતજ આપણી મિક્સરમાં પીસેલી બધી સામગ્રીને ગરમ થતા ગોળમાં ઉમેરો અને હલાવતા રહો. પછી, બધું સારી રીતે મિક્સ થઇ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો. હવે, આપણી આ તૈયાર થયેલ સામગ્રીમાં સૂંઠને ઉમેરવી. અને જ્યાં સુધી સૂંઠ સારી રીતે મિક્સ થઇ જાય એ રીતે એને ફરીથી હલાવવું. મિત્રો, હવે લાડુ બનાવવા માટેની આપણી સામગ્રી તૈયાર છે. 

આપણે બનાવેલ આ સામગ્રીમાંથી આપણે 30 લાડુ બને એ રીતના લાડુ બનાવીશું. બનાવેલ લાડુને 30 દિવસ સુધી રોજ સવારે ભૂખ્યા પેટે એટલે કે નરણા કોઠે 1 – 1 લાડુ ખાવો. રોજ સવારે આ લાડુ ખાવાથી તમે જાતેજ અનુભવશો કે ઘૂંટણમાં થતા દુખાવામાં તમને રાહત થતી જોવા મળશે. અને જો તમારા ફેમિલી મેમ્બર્સને આવી ઘૂંટણની સમસ્યા હોય તો આ લાડુ એમના માટે જરૂરથી બનાવજો. 

આ પણ વાંચો.....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ