સવારે વહેલા ઉઠવું અને ઉઠ્યા પછી જો તમે કોઈ કામ કરો છો તો તમારી ઊર્જા, પ્રોડક્ટિવિટી અને હેલ્થ સુધરી જાય છે. સવારમાં કામ કરવાની આદતો ના ફક્ત તમારી શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો કરે છે પરંતુ તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
સવારનો પહેલો અડધો કલાક કે એક કલાક દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે, કારણ કે આ સમય દરમિયાનની પ્રવૃત્તિઓ જ આપણા દિવસની ટોન સેટ કરે છે. એવામાં ચાલો જાણીએ કે, સવારે ઉઠતાની સાથે જ આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ.
સવારે સ્ટ્રેચિંગ - સવારે જાગતાની સાથે જ સ્ટ્રેચિંગ કરવી એ એક નેચરલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મગજને જાગવાનો સંકેત આપે છે અને શરીરમાં રહેલી આળસ દૂર કરે છે. સ્ટ્રેચિંગથી સાંધાઓ લુબ્રિકેટ થાય છે, ફ્લેક્સિબલિટી વધે છે અને શરીરને ઊર્જા મળે છે. સ્ટ્રેચિંગને વોર્મ-અપ માનવામાં આવે છે, જે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતાને ઘટાડે છે. સ્ટ્રેચિંગમાં ફક્ત 30 સેકન્ડનો સમય લાગે છે અને તેના ફાયદા પણ ઘણા છે.
જાગતાની સાથે જ પાણી પીવો - ઊંઘ દરમિયાન શરીરમાં પાણીની ઊણપ રહે છે. આ સમયે શરીર સંપૂર્ણપણે ડિહાઇડ્રેટેડ હોય છે, તેથી ઊઠતાની સાથે જ પહેલા પાણી પીવું જોઈએ. ચા કે કોફી જેવા પીણાંનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે શરીરમાંથી પાણી દૂર કરે છે. સવારે પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે, પાચનમાં સુધારો થાય છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કેટલાક રિસર્ચ થકી જાણવા મળ્યું છે કે, સવારે રોજ પાણી પીવાથી યાદશક્તિ વધે છે અને ધ્યાન કેન્દ્રિત થાય છે. ગરમ અથવા સામાન્ય તાપમાને પાણી પીવું મેટાબોલિઝમ માટે વધુ સારું રહે છે.
આંખો પર પાણી છાંટો - હાલની જીવનશૈલીમાં દિવસભર મોબાઇલ અને કમ્પ્યુટર સ્ક્રીનને કારણે આંખોમાં બળતરા, શુષ્કતા અને સ્ટ્રેસ રહે છે. આને ઘટાડવા માટે, સવારે ઉઠતાની સાથે જ આંખો પર ઠંડુ પાણી છાંટવાની સલાહ આપવામાં આવે છે. છાંટા મારતી વખતે મોઢામાં પાણી રાખો જેથી આંખોની ગંદકી બહાર નીકળતી રહે. આ પ્રક્રિયા આંખોને સાફ કરે છે, સાઇનસ ચેપ ઘટાડે છે અને દૃષ્ટિ વધારવામાં મદદરૂપ થાય છે. આ ઉપાય આંખોની અંદર થઈ રહેલ બળતરાથી રાહત આપે છે.
ઓઇલ પુલિંગ - ઓઇલ પુલિંગમાં નારિયેળ, તલ અથવા સરસવનું તેલ 5 થી 20 મિનિટ માટે મોંમાં મૂકવામાં આવે છે. તેલની ચીકાસ કીટાણુને બાંધી દે છે, જેને પછી થૂંકીને બહાર કાઢી દેવામાં આવે છે. આ શ્વાસની દુર્ગંધ દૂર કરે છે, પેઢામાં થતાં બળતરા ઘટાડે છે અને દાંત સફેદ કરે છે. આનાથી ચહેરાની કરચલીઓમાં ઘટાડો જોવા મળે છે અને ચહેરાની જૉ લાઇન પણ સારી રહે છે.
મોર્નિંગ બ્રેકફાસ્ટ - સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે તમારા શરીરને ઉર્જા આપે છે. તમે સવારે તમારી પસંદગી મુજબના ફળો, જ્યુસ અથવા તો બીજો કોઈપણ હળવો ખોરાક લઈ શકો છો.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય જરૂર થી શેર કરજો.


0 ટિપ્પણીઓ