10+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Useful cooking and kitchen tips and recipe tips in gujarati

Kitchen tips


મિત્રો, અત્યારે ભાગદોડ વાળી જિંદગીમાં દરેક લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. અને પોતાનું કામ કેવી રીતે જલ્દી પતાવવું એના ઉપાય શોધતા રહેતા હોય છે. અને, અને એમાં વળી નોકરિયાત મહિલાઓ કિચનમાં કઈ રીતે ફટાફટ કામ પતાવીને ફ્રી થઇ શકાય એ માટેના તામર પ્રયત્નો કરતી હોય છે. પણ, ઘણીવાર રસોડામાં ઉતાવળથી કરેલા નાના નાના કામ ખૂબ જ મોટી સમસ્યામાં મુકી દેતા હોય છે. 

તો, આજે આપણે આજના આર્ટિકલમાં નાની-નાની રસોઈને લગતી ટિપ્સ, kitchen tips in gujarati, rasoi tips in gujarati, gujarati recipe tips, gujarati rasoi tips, ઉપયોગી કિચન ટિપ્સ, ઉપયોગી રસોઈ ટિપ્સ લઈને આવ્યા છીએ. જેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે.

10 ઉપયોગી એવી કિચન ટિપ્સ | 10 Useful Kitchen Tips in Gujarati 

શું તમારું ઈડલી કે ઢોસાનું ખીરું પાતળું બની ગયું છે?
જો તમે રાત્રીના ભોજનમાં ઈડલી કે ઢોસા બનાવવાનુ વિચારી રહ્યા હોવ, અને એનું ખીરું જાતેજ ઘરે બનાવતા હોવ અને
ઈડલી કે ઢોસાનું ખીરું બનાવતી વખતે જો એ ખીરું પાતળું રહી જાય તો ગભરાવાની સહેજ પણ જરૂર નથી. તરતજ તેમાં, જરૂરિયાત પ્રમાણેનો રવો મિક્સ કરી દેવો જેથી કરી ને ઈડલી કે ઢોસાનું ખીરું તમારી જરૂરિયાત મુજબ ઘટ્ટ બની જશે. અને, તમે સ્વાદિષ્ટ ઈડલી કે ઢોસાની મહેફિલ માણી શકશો.

શું તમારી ફરસી પુરીમાં મરી અને જીરું ચોટેલું રહેતું નથી?
નાના બાળકોને ભાવતી એવી ફરસી પુરી ઘણી ખરી ગૃહિણી ઘરે જાતે જ બનાવતી હોય છે. પણ ઘણીવાર
ફરસી પુરી બનાવતા એનો સ્વાદિષ્ટ મસાલો એવા મરી અને જીરું ફરસી પુરી - Farsi Puri પર ચોંટેલા રેહતા નથી. એનું સમાધાન પણ અમારી પાસે છે. ઘરે ફરસી પૂરી બનાવતા હોવ તો બનાવતી વખતે મેંદાના લોટમાં જીરૂ, મરીનાં ભૂકાને અને મીઠાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવવો. અને, તેજ પાણીથી ફરસી પુરીનો લોટ બાંધવાથી મરી અને જીરૂ પુરી પર ચોંટેલા રહેશે.

ઘરે ભાજી રાંધતી વખતે લીલીછમ રહેતી નથી?
આપણે ઘણીવાર લીલી ભાજી રસોઈમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એનો કલર સહેજ બદલાઈ જાય છે. થોડી ઘણી કાળાશ પડતી  થઇ જતી હોય છે. તદુંપરાંતન લીલો કલર પણ જળવાતો રહેતો નથી. પણ, જો તમે પાંદડાયુક્ત લીલી ભાજી રાંધતી વખતે તેમાં સહેજ ચપટી ખાવાના સોડા અને મીઠું ઉમેરશો તો ભાજી જલ્દી ચઢી જશે સાથે સાથે ભાજી લીલીછમ રહેશે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ પણ લાગશે. 

જો ભાત બળી જાય તો શું કરવું?
ઘણીવાર ઉતાવળમાં
ભાત રાંધવા માટે મુકેલી ચોખાની તપેલી કે કુકરનો ગેસ બંધ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ. એના કારણે ભાત તપેલી અથવા તો કુકરમાં ચોંટીને બળી જતાં હોય છે. જો તમારી સાથે પણ આવું થાય તો તમારે તાત્કાલિક ગેસને બંધ કરીદો. એન તરતજ એ બધાજ ભાતને ઉપર ઉપરથી એક અલગ વાસણમાં કાઢી લઈ તે ભાતને પંખાની નીચે ખુલ્લા મૂકી દેવા.   આમ કરવાથી ભાતમાંથી આવતી બળવાની વાસ તરત જ જતી રહેશે. 

રોટલીનો લોટ કુણો બંધાતો નથી તો શું કરવું?
કોઈક વાર બહેનોથી રોટલીનો લોટ કઠણ બંધાઈ જતો હોય છે. અને એ કઠણ લોટ વાળી રોટલી ખાવાની માજા બગાડી નાખે. સરખો રોટલીનો લોટ બાંધવો એ પણ એક કળા છે. રોટલીનો લોટ જેટલો સ્મૂધ બંધાય એટલીજ રોટલી ખાવામાં પોચી અને સ્વાદિષ્ટ લાગે. જો તમારે પણ રોટલીનો લોટ સ્મૂથ બનાવવો હોયતો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ઉમેરી દો. જેનાથી લોટ કુણો તો બંધાશે સાથે સાથે રોટલી પાતળી વણાશે અને રોટલી સુકાશે નહીં. 

દાળ બનાવતી વખતે મીઠું વધુ પડી જાયતો શું કરવું?
જયારે પણ ગુજરાતી દાળ બનાવતાં હોઈએ ત્યારે ઘણી વાર સ્વાભાવિક રીતે અજાણતા દાળમાં મીઠું વધારે પડી જતું હોય છે. જેનાથી, દાળનો ટેસ્ટ બગડી જતો હોય છે અને દાળ ખારી થઇ જતી હોય છે. જો તમારાથી આવા સંજોગોમાં કોઈક વાર દાળમાં મીઠું વધારે પડી જાય તો ચિંતા કર્યા વગર તરતજ તેમાં લીંબુનો રસ ઉમેરીદો. દાળમાં રહેલી વધારાની ખારાશ દૂર થઇ જશે. 

ડુંગળી કાપ્યા બાદ ડુંગળીની ગંધ હાથમા રહી જાય છે?
ઘણી વાર જમતી વખતે ડુંગળીનો સલાડ કે શાકભાજી બનાવતી વખતે કાપેલી ડુંગળીની ગંધ આપણા હાથમાં રહી જતી હોય છે. અને એ ગંધ તીવ્ર હોવાને કારણે હાથમાંથી સતત વાસ આવતી  રહેતી હોય છે. હાથમાંથી આવતી
ડુંગળીની ગંધને દૂર કરવા માટે, હાથમાં થોડો બેકિંગ સોડા લઈને બંને હાથને બરાબર સરખી રીતે ઘસો. અને, ત્યારબાદ હાથને ધોઈ લેવા. આમ કરવાથી હાથમાંથી ડુંગળીની તેમજ દરેક પ્રકારની શાકભાજીની ગંધને દૂર કરી શકાય છે. 

લીલા વટાણા નું શાક કરીએ ત્યારે વટાણા ચીમળાઈ જાય છે?
ઘણી મહિલા મિત્રોને ખબર હશે કે લીલા વટાણા નું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય છે. અને એ ખાવામાં માજા બગાડે છે. પરંતુ તમે ઈચ્છતા હોય કે આવું ન થાય અને ખાવાની માજા પણ ના બગાડે તો એનાં માટે પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતાં સમયે આજ પાણીનો ઉપયોગ કરવો. 

ખુબ વધુ પ્રમાણ માં ટામેટા નો સંગ્રહ કરવો હોયતો શું કરવું ?
જો તમારે વધુ પ્રમાણમાં ટામેટાનો સંગ્રહ કરવો હોય તો સૌ પહેલા સારા સારા મોટા ટામેટા લાવીને એ ટામેટાનો રસ કાઢીલો. ત્યારબાદ, એ રસને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝ માં મૂકી દો. અને એ જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિકની ફ્રોઝન બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો. જયારે તમે ગ્રેવી, સોસ, અને સૂપ બનાવવાતા હોય ત્યારે આનો ઉપયોગ કરો.

વાસી ભાતને તાજા બનાવવા માટે શું કરવું?
જો સવારના વધેલા વાસી ભાતને સાંજે ફરીથી તાજા બનાવવા હોય તો, એ વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા ત્યારબાદ તેની ઉપર સાંજે બનાવેલા નવા તાજા ભાત મૂકવા, આમ કરવાથી નવા તાજા ભાતની સાથે સાથે સવારના વધેલા વાસી ભાત પણ તાજા બની જશે.

Recipe Whatsapp Group 
 
બીજી અન્ય રેસિપી જે તમને જરૂર ગમશે 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ