Head Ads

માત્ર આના સેવનથી સાંધાના દુઃખાવા, દાંતનો દુખાવો, શરદી, ઉધરસ અને ચામડીના રોગ સહિત અગણિત સમસ્યાઓ દૂર થઈ જશે | Mahuda na phool na fayada

 


સામાન્ય રીતે આપણા ઘરની આજુબાજુ એવા ઘણા બધા વૃક્ષો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થય માટે લાભદાયી તો છે જ, તે ઉપરાંત પર્યાવરણ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. પણ હકીકતમાં આપણને એની ઉપયોગી તેમજ તેના ફાયદા  વિશે અજાણ હોઈએ છીએ. એમાનુ એવું એક ઉપયોગી વૃક્ષ મહુડાનું વૃક્ષ છે. જે પર્યાવરણ માટે તો ઉપયોગી તો છે જ, પણ સાથે સાથે આપણા સ્વાસ્થય માટે પણ કોઈ ખુબજ ઉપયોગી છે. તેનાથી શરીરમાં થતી બીમારીઓ પણ દૂર કરી શકાય છે. Mahuda na phool na fayada

આમ જોવા જઇયે તો મહુડાના વૃક્ષ માંથી મળતી બધી જ વસ્તુઓ ફાયદાકારક છે. પંરતુ, જ્યારે તેના ફૂલો વિશે ચર્ચા કરવામાં આવે ત્યારે તેની ઉપયોગીતાથી અસંખ્ય ફાયદા મેળવી શકાય છે. કારણકે મહુડાનાં ફૂલનો ઉપયોગ કોઈ બીમાર વ્યક્તિ માટે જાદુઈ દવાની જેમ કામ કરે છે. એટલુંજ નહિ અમુક રોગોમાં તો બીમાર વ્યક્તિને ડોકટર પાસે લઇ ગયા વગરજ બીમારી દૂર કરી શકાય છે. 

 વિજ્ઞાનની નજરે જોતા મહુડાના ફૂલમાં ઘણા પ્રકારના વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન અને બીજા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ બધા જણાવેલ મિનરલ્સ આપણા શરીરને કોઈ પણ શારીરિક રીતે કામ કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે જાણીશુકે મહુડાના વૃક્ષ આપણને કેવી રીતે બીજા અન્ય પ્રકારના લાભ આપી શકે છે. mahuda na fayada

મહુડાના ફૂલમાં એન્ટી ઓક્સિડન્ટ જેવા ઉપયોગીએ તત્વો મળી આવે છે, જે વાયરલ પ્રકારની શરદી અને ઉધરસની સમસ્યા દૂર કરવા માટે મદદરૂપ થઇ શકે છે. મહુડાના ફૂલમાં કૃમિનાશક ગુણધર્મો હોય છે. માટે, જો નાના બાળકોના પેટમાં કરમિયા પડ્યા હોય તો આવા સંજોગોમાં મહુડાના ફૂલનો ઉપયોગ કરીને કરમિયા દૂર કરી શકાય છે. health benefits of mahua

જો તમે ડાયાબીટીસ થી પીડાતા હોવ તો તમે મહુડાના ફૂલનો ઉકાળો બનાવીને એનું સેવન કરી શકો છો. મહુડાનાં ફૂલની તાસીર ઠંડી હોય છે. અને એ પેટના ભયંકર દર્દોને દૂર કરીને પેટને ઠંડક આપે છે. માટે જો તમને અથવાતો ઘરના કોઈ પણ સભ્યોને પેટમાં બળતરાં થતી હોય અને અને ખાટા ઓડકાર આવતા હોય તો તમે મહુડાના ફૂલનો ખાવામાં ઉપયોગ કરી શકો છો. 

આંખના રોગોમાં પણ મહુડો ઉપયોગી છે. આંખના રોગો જેવાકે આંખોમાં ખંજવાળ આવવી, આંખોનો દુખાવો થવો વગેરે વગેરે જેવી સમસ્યાનો સામનો જો તમારે વારંવાર કરવો પડતો હોય તો તમારે મહુડાના ફૂલનો ઉપયોગ આંખમાં આંજણ તરીકે કરવો જોઈએ, તેનાથી આંખોમાં થતી મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે અને રાહત પણ મળશે.

આંખોની રોશની વધારવા માટે મહુડાના ફૂલને ઘીમાં ઉમેરીને શેકવા અને એ શેકેલા મહુડાનાં ફૂલનો ખાવામાં ઉપયોગ કરાવમાં આવે તો આંખોના તેજમાં વધારો થાય છે. જે લોકો આંખોના નંબરની સમસ્યાથી પીડાતા હોય તેમજ આંખો લાલ રહેતી હોય તેવા લોકોએ તો આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. - mahuda na fayda 

જે વ્યક્તિને દાંતમાં સતત દુઃખાવો રહેતો હોય અને એના ઉપાય હેતુ ગમે તેવા પ્રયોગો કાર્ય હોય અને દવાઓ લીધી હોય, તેમ છતાં પણ જો દાંતનો દુખાવો દૂર થતો ના હોય તો તે વ્યક્તિને મહુડાના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. મહુડાના પાનનો પાવડર બનાવીને તેને દુઃખાવો થતો હોય ત્યાં થોડાક સમય સુધી દબાવી રાખવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. 

કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને એના આખા શરીરમાં ઝેર ફેલાઈ નહી એ માટે તમારે સાપે મારેલ ડંખ વળી જયગાએ મહુડાના બીજની પેસ્ટ બનાવીને લગાવી જોઈએ. અને એ જગ્યાને એ સુતરાઉ કાપડના કટકાથી ફિટ રીતે બાંધી દેવી જોઈએ. આમ કરવાથી ઝેર આખા શરીરમાં ફેલાઇ શકશે નહીં. અને દર્દીને તરતજ નજીકના દવાખાને લઇ જવો.

જો તમે માઇગ્રેન થી પરેશાન રહેતા હોવ અને સાથે સાથે તમે દિવસ દરમિયાન સતત માથાનો દુઃખાવો રહેતો હોય અને તણાવ રહેતો હોય, તો તમારે મહુડાના ફૂલથી બનેલ તેલ અથવાનો મહુડાનાં તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલને માથા પર હળવે  હાથે ઘસવાથી માનસિક રીતે શાંતિ મળે છે અને માથાનો દુઃખાવો તુરંત પણે દૂર થાય છે. 

જો તમે કોઈ કારણસર શરીરની કોઈ જગ્યાએ દાઝી ગયા હોય અથવાતો શરીરના કોઈ ભાગ પર તમને ખંજવાળ આવતી હોય તો પણ તમે આવા સમયે મહુડાના તેલનો ઉપયોગ કરવો હિતાવહ છે. આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે પંરતુ અથાગ મહેનત કર્યા પછી પણ સુંદર દેખાઈ શકતો નથી. - mahuda oil benefits

સુંદર દેખાવા માંગતી વ્યક્તિએ મહુડાના તેલનો ઉપયોગ કરીને એને શરીર ર હળવા હાથે માલિશ કરાવી જોઈએ. મહુડાનાં તેલમાં તેમજ એના ફૂલમાં એન્ટી તત્વો મળી આવે છે. આ એન્ટિ એજિંગ તેલ શરીર પર લગાવવાથી શરીર ઉપર રહેલા ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે ચામડીમાં ગ્લો આવે છે. તેમજ સ્કિનને આરામ મળે છે. 


નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ